Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો

  Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત

 ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેરગામના પત્રકાર (રિપોર્ટર)દિપકભાઈ પટેલ દ્વારા પત્રકારનું શું કામ હોય છે. ક્યાંથી સમાચાર મળે છે લોકોની સમસ્યા માટે શું કરવું પડતું હોય છે સરકાર સુધી અવાજ કેવી રીતના પહોંચે છે જેની પૂરેપૂરી માહિતી આપી હતી,

પત્રકારો અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે, જેમાં મુખ્ય રીતે નીચેના મુદ્દા આવરી લેવાય છે:

1. સત્ય અને નિષ્પક્ષતા: પત્રકારોને સત્ય વિગતો મેળવવી અને પ્રસ્તુત કરવી પડે છે, પરંતુ ઘણીવાર વિવિધ તાકાતો, રાજકીય દબાણ, અથવા વ્યાપારી હિતો તેમના કામમાં આડાઘોળ લાવી શકે છે.

2. માહિતી સુધી પહોંચવા કઠિનાઈઓ: સત્તાવાળાઓ અથવા સંસ્થાઓ પાસેથી સંપૂર્ણ અને સાચી માહિતી મેળવવી એ પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને જ્યારે સંજોગો સંવેદનશીલ હોય.

3. સામાજિક અને રાજકીય દબાણ: કેટલાક પત્રકારોને તેમની કામગીરી દરમિયાન રાજ્ય, સંસ્થા, કે વ્યકિતગત દબાણનો સામનો કરવો પડે છે, જે તેમના કામમાં અડચણો ઊભી કરી શકે છે.

4. સાવધાની: કોઈ આકસ્મિક ઘટનાઓને આવરી લેતી વખતે (ઉદાહરણ તરીકે, કુદરતી આફતો, વિસ્ફોટ, જંગ અને પ્રદર્શન), તેઓના જીવન માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

5. આધુનિક ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયા: ટેક્નોલોજીના ઝડપથી વિકસતા માધ્યમોને કારણે પત્રકારો પાસે સચોટ અને ઝડપી રિપોર્ટિંગ કરવાની માગ વધી છે. જોકે, આ સાથે નિષ્ઠાવાન માહિતી અને ગેરમાર્ગે દોરી શકાય તેવી માહિતી વચ્ચે તફાવત કરવો પડકારરૂપ છે.

6. માનસિક દબાણ અને વ્યવસાયિક અસુરક્ષા: સતત રિપોર્ટિંગ અને વ્યસ્ત સમયપત્રક માનસિક દબાણ અને વ્યાવસાયિક અસુરક્ષાને જન્મ આપી શકે છે.

આ પડકારો છતાં, પત્રકારો પોતાનું કામ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેની સમજ આપવામાં આવી હતી.

પત્રકારોએ કેવી સમસ્યાઓને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ?

1. શિક્ષણ અને આરોગ્ય: સામાન્ય લોકોના શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, અને તેમાં થયેલા સુધારા કે ખામીઓ.

2. આર્થિક સમસ્યાઓ: બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને વેપારી મુશ્કેલીઓ.

3. પર્યાવરણ અને કુદરતી સંસાધનો: વાતાવરણ પ્રદૂષણ, પાણીની સમસ્યા, જંગલોનો નાશ, અને ટેકસાલિટીને લગતા પ્રશ્નો.

4. માનવ અધિકાર અને ન્યાય: સમાનતા, ભેદભાવ, અન્યાય, અને બિનસમાનતા સામે લડવાના મુદ્દાઓ.

5. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવહાર: શાસનતંત્રમાં થયેલા ભ્રષ્ટાચાર, અને તેનું સામાજિક અને આર્થિક અસર.

6. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા: મહિલાઓ, બાળકો, અને નબળા વર્ગો સાથે થતી હિંસા અને અન્યાયની ઘટનાઓ.

પત્રકારોએ આ પ્રશ્નોને ધ્યાને રાખી માહિતી આપવી જોઈએ અને ઉકેલ માટે સરકાર અને નાગરિકોની જવાબદારી પર પ્રકાશ પાડવો જોઈએની વાત કહી હતી.

આ ઉપરાંત  શાળામાંથી બાળકોને બહાર લઈ જઈ બહારની જે પ્રવૃત્તિઓ હોય તેની મુલાકાત કરાવી હતી જેમાં  વાડી ખેતરની તથા ખેડૂત  દરજી ઉદ્યોગ સ્પીકરની કંપની એમાં છોકરાઓ કે રૂબરૂ મુલાકાત કરી અને કઈ રીતે કામ  કરી શકાય જેની  પૂછપરછ  મુલાકાત દરમિયાન કરી હતી.

 આ 5 દિવસ બેગલેસ ડે' માં બાળકો નાના. મોટા વ્યવસાય પ્રત્યે માન- લાગણી તેમજ તેમાં થતી મહેનતની  કદર કરતા શીખ્યા    તેમના આત્મવિશ્વાસ અવલોકન શક્તિ વ્યવસાય પ્રત્યે ઈમાનદારી સમયની કિંમત  સમજ મેળવી જોખમ કઈ રીતે ઉઠાવવો વગેરે નો વિકાસ થયો હતો અને સમજ મેળવી હતી

Comments

Popular posts from this blog

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

                                                  Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં.  શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકો...

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSa...

Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ

 Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ માહિતી બ્યુરો,તાપી તા.૨૧ શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા  પનિયારી -વ્યારા ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર યોગ કરી આપણા ભારતીય સંસ્કૃતિની લગભગ પાંચ હજાર વર્ષ પહેલા શરૂ થયેલી યોગ પ્રણાલીને જીવંત રાખવામાં સહભાગી થયા હતા.બાળકોને માનવ જીવનમાં યોગનું કેટલુ મહત્વ છે તે અંગેની સમજ પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તથા યોગગુરુ દિપાલીબેન ડી. શાહ દ્વારા કરવામાં આવેલ છે. વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ - માહિતી બ્યુરો,તાપી તા.૨૧... Posted by  Info Tapi GoG  on  Friday, June 21, 2024