Skip to main content

ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

   ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક  🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળ...

Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો

 Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો

*કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજીક વિકાસ થશે-કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે


 નવસારી,તા.૧૨: નવસારી જિલ્લાની કિશોરીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને તે દિશા તરફ એક અનોખી પહેલ કરી જિલ્લા પંચાયત નવસારી દ્વારા સક્ષમ યુવીકા પ્રોજેકટ ગત વર્ષથી શરૂ કરવામાં આવેલ હતો. આ પ્રોજેકટ થકી જિલ્લાની કિશોરીઓ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શિક્ષિત, તંદુરસ્ત, નીડર, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર બનવાની સાથે તેઓના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહી છે.

 નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષે મળેલ સારા પરિણામોને ઘ્યાને લઈ ચાલુ વર્ષે પણ આ પ્રોજેકટ અંતર્ગત જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ભણતી ધોરણ-૭ અને ૮ની કિશોરીઓ માટે આરોગ્ય વિષયક તથા જીવન ઉપયોગી અન્ય વિષયો આનુસંગીક માર્ગદર્શનની સાથે સાથે સમયાંતરે તેઓના આરોગ્યની ચકાસણી તેમજ કિશોરીઓના શારીરીક વિકાસ અર્થે જરુરી પૌષ્ટીક આહાર પુરો પાડવો વગેરેના આયોજન સાથેના “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ “ નો શુભારંભ આજરોજ કલેકટરશ્રી ક્ષિપ્રા અગ્રેના વરદ હસ્તે પ્રાથમિક શાળા એંધલ તા.ગણદેવી જી.નવસારી ખાતેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્ર્મમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, આઇસીડીએસ ચેરમેનશ્રી નિકિતાબેન પટેલ, શિક્ષણ ચેરમેનશ્રી શીલાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્યશ્રી, તેમજ એંધલ ગામના સરપંચશ્રી, એંધલ ગામના આગેવાનો,  પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. અતુલ ગજેરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, સીડીપીઓશ્રી, આંગણવાડી વર્કર બહેનો, બી.આર.સી. કોડિનેટર, સી.આર.સી. કોડિનેટર, એંધલ શાળાના શિક્ષકો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.


કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સક્ષમ યુવિકા યોજના વિશે સંબોધન કરવામાં આવ્યુ હતું અને જણાવ્યું હતું કે, સક્ષમ યુવિકા યોજના અંતર્ગત ચલાવવામાં આવતા સેશન થકી કિશોરીઓ સક્ષમ બની પોતાની રીતે પગભર થશે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. તેમજ જણાવ્યુ કે વર્તમાન સમયના કિશોરીઓના વિકાસમાં હાલ માતાઓ વધુ ફાળો આપે છે તેમા પિતાઓએ પણ સક્રીય રીતે જોડાવુ જોઇએ. કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજીક વિકાસ થશે.  એમ ઉમેર્યું હતું. 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા દ્વારા કિશોરીઓને સક્ષમ યુવિકા યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહક સંબોધન આપવામાં આવ્યું અને જણાવ્યુ કે જિલ્લાની ૨૧૨ શાળાઓમાં ૭૩૮૧ કિશોરીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેના થકી  નવસારી જિલ્લાની કિશોરીઓના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થશે. તેમજ તમામ પ્રવૃતિઓ દ્વારા કિશોરી સક્ષમ બનશે તેવા ઉદેશ્યો સાથે “સક્ષમ યુવિકા” યોજના હાથ ધરવામાં આવેલ છે. કિશોરીઓ આવતી કાલના સમાજ નિર્માણનું ભવિષ્ય હોય તેઓનો યોગ્ય વિકાસ થવો જ જોઇએ એમ ઉમેર્યું હતું. 

સક્ષમ યુવિકા યોજનાના કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.અતુલ ગજેરા દ્વારા સક્ષમ યુવીકા પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શિક્ષણ ચેરમેન શ્રીમતી શીલાબેન પટેલ દ્વારા વર્તમાન સરકાર કિશોરીઓના વિકાસ માટે સતત ચિંતીત છે અને કિશોરીઓ ઉજ્જ્વળ ભવિષ્ય સાથે આગળ વધે અને સફળતા મેળવે તેવા ધ્યેયથી કામગીરી કરી રહી છે એમ જણાવ્યુ હતુ. 

          આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, લાભાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓનો વિદ્યાર્થીઓ, વાલીઓ,શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

         ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત  આનંદ મેળો  એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો.  વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી  પ્રશાંતભાઈ પટેલ ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો  મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા  વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય...

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો

  Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી ...