Skip to main content

Posts

Showing posts from July, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.

 Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ. 🏫 ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ 📚 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મુકવામાં આવ્યો. આ તકે શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે 'ઉલ્લાસ મેળો'. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલ વાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબુત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે, શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. સમાજને ઉપર લાવવા અંકજ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્

નિપુણ વર્ગ સાધન સહાયક સાધન સામગ્રી (ધોરણ ૧,૨)નાં ઉપયોગ માટેનાં ઉપયોગી વિડિયો

નિપુણ વર્ગ સાધન સહાયક સાધન સામગ્રી (ધોરણ ૧,૨)નાં ઉપયોગ માટેનાં ઉપયોગી વિડિયો   _______________________________________ ______________________________________ _______________________________________ _______________________________________ _______________________________________

ભુજના શિક્ષિકાની સતત ત્રીજી વખત રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં પસંદગી

 ભુજના શિક્ષિકાની સતત ત્રીજી વખત રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં પસંદગી

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

  નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ. તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં‌ માસ્ટર્સ તજજ્ઞ  તાલીમ નવસારી  જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી. રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ  આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર),  શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી તાલીમના ત્રણે  દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના,  કરવામાં આવ્યું  હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ  સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા.  જિલ્લા કૉ-ઓર્ડીન

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

  નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભ

નવસારી: સિસોદ્રા કન્યાશાળામાં ઇવીએમ એપ્લિકેશનથી બાળસંસદની ચૂંટણી કરાઇ

નવસારી: સિસોદ્રા કન્યાશાળામાં ઇવીએમ એપ્લિકેશનથી બાળસંસદની ચૂંટણી કરાઇ

ઓલપાડ: કરંજ પ્રાથમિક શાળામાં સંપૂર્ણ લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી

ઓલપાડ: કરંજ પ્રાથમિક શાળામાં સંપૂર્ણ લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી

ગુજરાતમાં સૌ ભણે, સૌ આગળ વધેના ધ્યેય સાથે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી

ગુજરાતમાં સૌ ભણે, સૌ આગળ વધેના ધ્યેય સાથે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી ગુજરાતમાં સૌ ભણે, સૌ આગળ વધેના ધ્યેય સાથે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે, જેના પરિણામે આજે લાખો વિદ્યાર્થીઓ... Posted by Dr Kuber Dindor on  Tuesday, July 16, 2024

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15/-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામા

સાગબારા(નર્મદા ) : આદર્શ પ્રા. શાળા પાટ તા. સાગબાર જી.નર્મદાનો વોકેશનલ પ્રાકૃતિક સેમિનાર

સાગબારા(નર્મદા ) : આદર્શ પ્રા. શાળા પાટ તા. સાગબાર જી.નર્મદાનો વોકેશનલ પ્રાકૃતિક સેમિનાર 

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાનુ

ડાંગ (સાપુતારા): મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો

  ડાંગ  : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મં

બીલીમોરાની સોમનાથ શાળામા બાળ સંસદ કાર્યક્રમ બાળવિદ્યાર્થીઓએચૂંટણી પ્રક્રિયા સમજી મતદાન કર્યું

બીલીમોરાની સોમનાથ શાળામા બાળ સંસદ કાર્યક્રમ બાળવિદ્યાર્થીઓએચૂંટણી પ્રક્રિયા સમજી મતદાન કર્યું ગુજરાત ગાર્ડિયન ન્યૂઝ

Dharampur: ધરમપુર તાલુકાની દોની ફળિયા પ્રાથમિક શાળાનો 53મો સ્થાપના દિવસ ઉજવાયો.

 Dharampur: ધરમપુર તાલુકાની દોની ફળિયા પ્રાથમિક શાળાનો 53મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ ૧૩-૦૭-૨૦૨૪ નાં દિને ધરમપુર તાલુકાની દોની ફળીયા પ્રાથમિક શાળાના ૫૩માં સ્થાપના દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના હસ્તે કેક કાપી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે ગ્રામજનો, વાલીઓ, નાના નાના ભૂલકાઓ, શાળાના શિક્ષક ગણ તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ધરમપુર તાલુકાની દોની ફળીયા પ્રાથમિક શાળાના ૫૩ માં સ્થાપના દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી, જેમાં નાના નાના ભૂલકાઓ, શાળાના શિક્ષક ગણ તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા... Posted by Mla Arvind Patel on  Saturday, July 13, 2024

બુહારી :કલમકુઈ ગ્રામભારતી આશ્રમશાળા શાળાનાં બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ

  બુહારી :કલમકુઈ ગ્રામભારતી આશ્રમશાળા શાળાનાં બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ

ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

 ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ  ઓલપાડ તાલુકાનાં પારડીઝાંખરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયનાં શિક્ષિકા ધર્મિષ્ઠા પટેલ દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રિસાઈડીંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ મતદાનમાંથી સૌથી વધુ મત ધોરણ 8માં અભ્યાસ કરતાં શ્લોક એચ. રાઠોડને મળતાં તેને શાળાનાં મહામંત્રી જાહેર કરવામાં આવ્યા હતાં. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા શિક્ષિકા નીતા પટેલ, ભક્તિ પટેલ, જશુ પટેલ તથા અનામિકા પટેલે જહેમત ઉઠાવી હતી. આચાર્ય રમેશ પટેલે ચૂંટણી સ્ટાફ તથા મતદારોનો આભાર વ્યક્ત કરી વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતાં.

કીમ પ્રાથમિક શાળામાં બાળકોને યોગનાં ફાયદાઓ વિશે અવગત કરાયા

   કીમ પ્રાથમિક શાળામાં બાળકોને યોગનાં ફાયદાઓ વિશે અવગત કરાયા ક્રેડિટ : દિવ્ય ભાસ્કર બારડોલી   શાળાનાં બાળકો પ્રાથમિક કક્ષાએથી જ ભારતીય સંસ્કૃતિની દેન એવાં યોગથી પરિચીત થાય એ શુભ હેતુસર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં યોગ વિષયક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 75 જેટલાં વર્ષે પણ અડીખમ સુરત શહેરનાં બિપીન જરીવાલા દ્વારા અત્રેની શાળાનાં બાળકોને યોગની મહત્તા સમજાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ અનેક રોગોને જડમૂળથી દૂર કરીને તંદુરસ્તી બક્ષે છે. યોગ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી સુખી જીવનનાં સ્તરને સુધારવાનું કામ કરે છે જે એક હકીકત છે. યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરાવવામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો છે જે સૌ ભારતીયો માટે ગૌરવની બાબત છે. અંતમાં શાળાનાં આચાર્ય દિનેશ પટેલે યોગને રોજની દિનચર્યામાં સમાવી લેવાનાં હાર્દિક અનુરોધ સાથે બાળકો સહિત શિક્ષક પ્રશિક્ષકનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડાંગ: આહવાની દીપ દર્શન પ્રાથમિક. શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી શૈક્ષણિક પરીક્ષાઓમાં અવ્વલ :

ડાંગ: આહવાની દીપ દર્શન પ્રાથમિક. શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી શૈક્ષણિક પરીક્ષાઓમાં અવ્વલ : પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જ્ઞાનસેતુ અને એન.એમ.એમ.એસની પરીક્ષામાં દીપ દર્શન શાળાના વિદ્યાર્થીઓ સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રથમ : - (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી દીપ દર્શન પ્રાથમિક શાળાના બાળકો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જ્ઞાનસેતુ અને એન.એમ.એમ.એસ જેવી શૈક્ષણિક પરીક્ષાઓમા સમગ્ર ડાંગ જિલ્લામાં અવ્વલ નંબરે રહ્યા છે. તાજેતરમાં લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ ૨૦૨૩-૨૪માં આહવા સ્થિત દીપ દર્શન પ્રાથમિક શાળાના જયકુમાર કલ્પેશભાઈ ચૌધરીએ ૧૫૦ ગુણમાંથી ૧૩૬ ગુણ મેળવી, સમગ્ર ડાંગ જિલ્લામાં મેરીટમાં પ્રથમ, જ્યારે દીયાબેન મોહનભાઈ ભોયે ૧૩૫ ગુણ મેળવી દ્વિતીય ક્રમ રહેવા પામ્યા છે. આ અગાઉ જ્ઞાનસેતુ પરીક્ષામાં પણ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ, જેમાં પ્રથમ પટેલ મૈત્ર મનોજભાઈ, દ્વિતીય જાદવ દિવ્યેશ રાકેશભાઈ, અને તૃતીય આગેવાન અલિઝા અતિકભાઈએ સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રથમ ત્રણ નંબરે રહેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત જ્ઞાનસાધના પરીક્ષામા પણ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ